Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

વાંકાનેરનાં રતન ટેકરીમાં સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીની પાલખી

વાંકાનેર : વાંકાનેરથી દસ કિલોમીટર દૂર સૌરાષ્ટ્રનું પ્રસિદ્ઘ શિવાલય મંદિર રતન ટેકરી, વાંકાનેરમાં આવેલ સ્વંયભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણમાસના ત્રીજા સોમવારે તા.૨૩ મીના સવારે ૧૦:૩૦ કલાકે મંદિર પરિસરમાં દાદાના 'મોરા સાથે પાલખી' નીકળી હતી જે પાલખીમાં લઘુ મહંત શ્રી જીતેન્દ્રદાસજી, તેમજ મહંતશ્રી રતિલાલજી મહારાજ તથા ભૂદેવો, ભકતો હાજર રહયા હતા તેમજ સાંજે સ્વંયભૂ શ્રી જડેશ્વર મહાદેવદાદાની 'દિપમાળા સાથે દિવ્ય મહા આરતી' કરવામાં આવેલ હતી સોમવારે વિશાળ સંખ્યામાં દાદાના દર્શનનો લાભ ભાવિક, ભકતજનોએ લીધેલ હતો.

(11:53 am IST)