Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ઉનાઃ આપઘાત કરનાર વૃધ્ધ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે કારણ અંગે તપાસ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૪ :.. કુંભારવાડીમાં રહેતા વૃધ્ધ લખમણભાઇ વાજાએ જમજીરના ધોધમાં ઝંપલાવી આપઘાત કરી લેતા કલાકોની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢયો હતો અને વૃધ્ધ પાસેથી સુસાઇડ નોટ મળી આવતા સુસાઇડના નોટના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે. વૃધ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.

કુંભારવાડાનાં નાકા પાસે રહેતા કોળી લખમણભાઇ ચનાભાઇ વાજા (ઉ.૭૦) બપોરે ઘરેથી નિકળી ગીરગઢડા તાલુકાનાં જામવાળા ગામે ઘાટવડ જતા રસ્તાનાં કાંઠે જમજીરનો ધોધ આવેલ છે. ત્યાં તેમના પરિવાર સાથે ફોન ઉપર વાત કર્યા પછી મરી જાઉ છું. કહી ધોધમાં કુદકો મારી જતા ઉંડા પાણીમાં ડુબી ગયા હતાં.

આ અંગે ઉનાના તેના પરિવારને જાણ થતા ઉનાના નગરસેવક પરેશભાઇ બાંભણીયાને જાણ કરી હતી. ત્યાર પછી ઉના નગરપાલીકાનો ફાયર બ્રીગેડ સ્ટાફ તથા સ્થાનીક તરવૈયાઓએ દોરડા ત્થા મિંદડી નાખી શોધખોળ કરતા કલાકોની મહેનત બાદ તેમને મૃતદેહ બહાર કાઢેલ હતો અને કોડીનાર સરકારી હોસ્પીટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડેલ છે. કયા કારણસર આપઘાત કર્યો તે અંગે પોલીસે વૃધ્ધ પાસેથી મળેલ સુસાઇડ નોટ આધારે તપાસ કરી રહી છે.

(11:48 am IST)