Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

શ્રી ભુરખીયા હનુમાનજીના દર્શને ભુપેન્દ્રસિંહ ચુડાસમા

દામનગર : સુપ્રસિદ્ઘ યાત્રાધામશ્રી ભુરખિયા હનુમાનજીના દર્શને પધારેલ ગુજરાત રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મંદિર કાર્યાલય ખાતે અગ્રણી શ્રી અમરશીભાઈ પરમાર દેવરાજભાઈ સિંધવ ગોપાલભાઈ ચુડાસમા ટ્રસ્ટી અને પૂજારી પરિવાર સહિતના ઓ દ્વારા સ્વાગત કરાયું હતું. શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સેવા અન્ન ક્ષેત્ર સમૂહ લગ્નોત્સવ શિક્ષણ આરોગ્ય જેવી વિવિધ સામાજિક સેવા પ્રવૃત્ત્િ। થી મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અવગત મંદિર ટ્રસ્ટના મેનેજર ગોપાલભાઈ ચુડાસમાએ કર્યા હતા. ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ચુડાસમાને ભુરખિયા હનુમાનજીનું સ્મૃતિ ચિન્હ ક્ષત્રિય સમાજ અગ્રણી માજી સરપંચ અમરશીભાઈ પરમાર અને પૂજારી પરિવાર અને કર્મચારીગણે અર્પણ કર્યું હતું. 

(11:47 am IST)