Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જસદણ : ડુંગરપુર ગામના નેહડમાં માલધારીઓને મળી આનંદ વ્યકત કરતા પરસોતમભાઇ રૂપાલા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૪ : જન આશીર્વાદ યાત્રા રાજકોટના ડુંગરપુર ગામે માલધારીના નેહમાં પહોચી ત્યારે સરપંચ ભુપતભાઇ પડસારીયા દ્વારા નવનિયુકત કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મ રૂપાલા નું સન્માન માલધારી પહેરવેશ પાદ્યડી,કડીયું અને ભાતીગળ લાકડી દ્વારા સન્માન કર્યું હતું. માલધારીઓ નો અદમ્ય ઉત્સાહ અને ઉમળકો જોઈ રૂપાલાએ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા ને અભિનંદન આપ્યા હતા અને છેવાડા ના ગામના માલધારી ઓ ની વચ્ચે યાત્રાને લઈ જઈ ખરેખર છેવાડાના ના લોકો ના આશીર્વાદ મળ્યા નો આનંદ વ્યકત કર્યો હતો.

રાજકોટ જીલ્લામા 'જન આશીર્વાદ યાત્રા' દરમ્યાન 'સામાજિક સંમેલન'ની જવાબદારી સંભાળતા ભાજપ બક્ષીપંચ મોરચાના રાજકોટ જિલ્લાનાં પ્રમુખ હરેશભાઇ હેરભા સાથે રૂપાલાએ વાતચીત કરી ને વિસ્તાર માં વરસાદ ઓછો છે એવી ચિંતા વ્યકત કરી હતી. અને માલધારીઓ ને પણ પશુઓ ખરીદવા સરકાર સહાય આપશે એવી જાહેરાત કરી હતી.

આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ પ્રદેશ ભાજપ ના મંત્રી તેમજ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા. ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા. મહામંત્રીશ્રી નાગદાનભાઈ ચાવડા. મહામંત્રી મનસુખભાઈ રામાણી. મહામંત્રી મનીષભાઈ ચાંગેલા. રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, જસદણ તાલુકા ભાજપ મહામંત્રી વનરાજભાઈ ખીંટ.બક્ષીપંચ મોરચા ના મહામંત્રી નવીનપરી ગોસ્વામી, જસદણ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હસમુખભાઈ હાંડા સહિતના ભાજપ અગ્રણીઓ જોડાયા હતા તેમ રાજુ ચાવડા, સહ ઈન્ચાર્જસોસીયલ મીડિયા રાજકોટ જીલ્લા ભાજપની યાદી જણાવે છે. 

(11:44 am IST)