Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગોંડલના વૃધ્ધાશ્રમના વૃધ્ધોને જાત્રા

ગોંડલ : ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં ફેકટરી ધરાવતા ઉદ્યોગપતિ અને લાયન્સ કલબના પ્રમુખ એવા ગિરધરભાઈ રૈયાણી દ્વારા અત્રેના વૃદ્ઘાશ્રમમાં જીવન નિર્વાહ કરતા ૩૫ જેટલા વૃદ્ઘોને ખોરાસા ગીર, સોમનાથ મહાદેવ મંદિર , તેમજ કાગવડ ખોડીયાર માતાજીના મંદિરની જાત્રા કરાવવામાં આવી હતી . આ જાત્રા લકઝરી બસ દ્વારા કરાવવામાં આવી હતી અને સવારે નાસ્તો બપોરે અને સાંજે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.

(9:35 am IST)