Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

દિયોદર રૂટની બસના અગ્નિકાંડમાં જુનાગઢના ડેપો મેનેજર સહિત ૬ કર્મચારીઓ સસ્પેન્ડ

ફરજમાં બેદરકારી સબબ કડક પગલુ

જૂનાગઢ તા. ૨૩ : દિયોદર રૂટની બસના અગ્નિકાંડમાં જુનાગઢ ડેપો મેનેજર સહિત છ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગઇકાલે રામોદ પાસે દિયોદર - જુનાગઢ રૂટની એસટીમાં આગ ફાટી નીકળી હતી. જોકે કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી.

આ બસ સળગી ઉઠવાના બનાવમાં ફરજમાં સરકારી અને મુસાફરોની સલામતી અંગે આંખ આડા કાન કરવા સબબ જુનાગઢના ડેપો મેનેજર દવે તેમજ બે હેડ મીકેનીક અને ૩ ઇલેકટ્રીશ્યનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

આ કડક કાર્યવાહીથી એસ.ટી.ના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(11:29 am IST)