Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

કચ્છ થી દ્વારકા જગત મંદિર સુધી ક્રિષ્નને વહાલી 25 ગાય માતાએ કરી 450 કી મી ની પદયાત્રા .ગાય માતા એ કરી કાળિયા ઠાકર ની પરિક્રમમાં.

દ્વારકા :યાત્રાધામ દ્વારકા માં ગત રાત્રે કરછ વિસ્તાર નાં મહાદેવ ભાઈ દેસાઈ એ  લંપી રોગ માં પોતાની કોઈ ગાય નું મૃત્યુ ન થાય તો ગાયો ને લઇ ને દ્વારકા પદયાત્રા કરવાની માનતા રાખી હતી દરમ્યાન  મહાદેવ ભાઈ અને તેમના 5 ગો સેવકો પોતાની 25 ગાયો ને લઇ  કરછ થી દ્વારકા સુધી ગાયો ને લઇ ને ચાલી ને આવ્યા હતા  લગભગ450 કિલો મીટર  ચાલી  ભગવાન દ્વારકા ધીસ નાં ચરણે   ગાય માતાઓ પહોંચી હતી.
રાત્રિ નાં સ્પેશિયલ તંત્ર ની  મંજુરી થી  25 ગો માતા  અને મહાદેવ ભાઈ સાથે 5 ગો સેવકો એ જગત મંદિર ની પરિક્રમા કરી દર્શન કર્યા

(8:10 pm IST)