Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સાવરકુંડલામાં ''આપ''ના બેનર ફાટયા

ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં પ્રચાર ઝૂંબેશ વેગવંતો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા લીલીયા-વિધાનસભા બેઠક ઉપર જેમ જેમ મતદાન તારીખ નજીક આવતી જાય છે. તેમ તેમ પ્રચાર જંગ જામતો જાય છે. પરંતુ મુખ્ય બેઠક ઉપર અગીયાર ઉમેદવારો મેદાનમાં પરંતુ મુખ્ય જંગ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છ.ેત્રણે પક્ષના કાર્યકરો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમા છેલ્લા બે દિવસથી પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોચ્યુ છે. અને આમ આદમી પાર્ટીના લગાવાયેલા બેનરો કોઇ અજાણ્યા શખ્સો ફાડી રહ્યા છે. અહિ વોર્ડ નં. ૪ માં ગૌશાળા રોડના વળાંકમાં ભાજપ-કોંગ્રેસ અને આપના બેનરો લગાવવામાં આવ્યા હતા તેમા આપનું બેનર અજાણ્યા શખ્સોએ ફાડી નાખ્યુ છે. આમ આદમી પાર્ટીના સ્વભાવે સરળ અને શાંત પ્રકૃતિક ધરાવતા ઉમેદવાર ભરતભાઇ નાકરાણીના બેનર જ ફાડવામાં આવે છે આ અગાઉ પણ વીએસ દિવસ પહેલા આપના બેનરો ફાડવામાં આવ્યા હતા અને આપના વોટસએપ ગ્રુપમાં બેનરો ઉપર નજર રાખવા કાર્યકરોને જણાવાયું હતું પરંતુ કાર્યકરો ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહેતા હોય ફરીવાર આપના બેનર ફાડવાની ઘટના બની છે ઉમેદવાર ભરતભાઇ નાકરાણીએ જણાવ્યું હતું કે અમોને લોકોનો સ્વયંભુ સહકાર મળી રહ્યો છે. બેનર ફાડવાની પ્રવૃતિ અમને રોકી શકશે નહી.

(3:41 pm IST)