Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

તંત્ર વ્‍યવસ્‍થા ન કરી શકતા હું મત નહી આપી શકુ : તમે અવશ્‍ય મતદાન કરજો : ઉપલા દાતારના પૂ. ભીમબાપુની અપીલ

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ તા. ૨૩ : જુનાગઢ આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકોને ઉપલાદાતારના મહંત પૂજ્‍ય ભીમ બાપુ અપીલ કરી છેકે લોકો આ મહાપર્વને ઉત્‍સવની જેમ ઉજવી અને તમામ લોકો મતદાનથી વંચિત ન રહે પોતાનો પવિત્ર મત જરૂરથી ગુજરાતની જનતા દરેક નાગરિક જરૂરથી મતદાન કરે તેવી મારી નમ્ર અપીલ છે અમેપણ મતદાન કરવા ઉત્‍સુક હતા પરંતુ તંત્ર વ્‍યવસ્‍થાઉભી ન કરી શકયું જેનું અમને ખેદ છે જેથી હું મતદાનથી વંચિત રહું છું પણ લોકો મતદાનથી વંચિત ના રહે તેવી હું સૌ મતદાર ભાઈઓ બહેનોને અપીલ પૂ. ભીમબાપુએ કરી છે. 

(1:33 pm IST)