Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જામનગરમાં લઘુ ઉદ્યોગ ભારતીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

જામનગર :  જામનગરમાં રણજીતસાગર પાર્ટી પ્લોટ ખાતે લઘુ ઉદ્યોગ ભારતીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.જામનગર જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ડાંગરીયા અને તેની ટીમ દ્વારા ૮૦૦થી વધુ લઘુ ઉદ્યોગ ભારતી સાથે જોડાયેલા પરિવારોના પરિવારજનો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાના પ્રમુખ હંસરાજભાઈ ગજેરા, ઉપપ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, વિભાગ પ્રમુખ નાથાભાઈ કમાણી, રાજકોટના પ્રમુખ જયભાઈ માધાણી તેમજ જામનગરના પ્રમુખ ભરતભાઈ ડાંગરિયા, મંત્રી દિનેશભાઈ નારીયા, ઉપપ્રમુખ હરેશભાઈ રામાણી, ખજાનચી જયેશભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ સ્નોહ મિલનમાં ઉપસ્થિત આગેવાનોએ વિવિધ પ્રશ્નોએ ચર્ચા કરી ઉદ્યોગકારોને માહિતી આપી હતી તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણીના ચૂંટણીપર્વમાં ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાષ્ટ્ર અને હિન્દુ હિત ને ધ્યાને રાખી લોકોએ પોતાના જન પ્રતિનિધિ ચુંટવા માટેનો અવસર આવ્યો છે ત્યારે આ અવસરને અચૂક વધાવી મતદાન અવશ્ય કરવા અપીલ પણ કરવામાં આવી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી- તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:31 pm IST)