Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

શકત સનાળાનો યુવાન નશામાં પાણીના બદલે એસીડ પી ગયો

મયુર સોલંકીને રાજકોટ ખસેડાયો

રાજકોટ,તા.૨૩ : મોરબીના શકત સનાળામાં રહેતો યુવાન નશાની હાલતમાં પાણીના બદલે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ શકત શનાળા ગામમાં રહેતો મયુર ખીમજીભાઇ સોલંકી (ઉવ.૨૪) રાત્રે પોતાના ઘરે હતો. ત્યારે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મયુરને દારૃ પીવાની ટેવ હોય, તેથી તેણે નશામાં પાણીના બદલે એસીડ પી લીધુ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મોરબી પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)