Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પૂ. ધીર ગુરૂદેવની નિશ્રામાં

કાટકોલામાં કાલે આંગણવાડીની શિલારોપણ વિધિઃ ગામજમણ

રાજકોટ તા. ર૩ :.. ભાણવડ તાલુકાના કાટકોલા ગામે જૈન મુનિ પૂ. શ્રી ધીર ગુરૂદેવ પ્રેરિત કાટકોલાના વતની મસ્‍કત (ઓમાન) વસતા સ્‍વ. નાગરદાસ મનજી શાહની સ્‍મૃતિમાં રમણીકભાઇ શાહ, રમેશભાઇ શાહ અને નવીનભાઇ શાહના સહકારથી આંગણવાડી શિલારોપણ વિધી સમારોહનું આવતીકાલે તા. ર૪ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર કલાકે આહિર સમાજમાં આયોજન કરાયું છે.

પૂ. ગુરૂદેવ સવારે ૯ કલાકે કાટકોલા ખાતે ચંદનબેન ધીરજલાલ મણિયાર જૈન ઉપાશ્રયે પધાર્યા બાદ ૯.૩૦ કલાકે મુખ્‍ય માર્ગે થઇ આહિર સમાજમાં પધારશે.

શિલારોપણ વિધિ બાદ ગુરૂભકત પરિવાર તરફથી ધુંવાડાબંધ ગામજણ રાખેલ છે. આ પ્રસંગે કિશોરભાઇ મણીયાર વગેરે ઉપસ્‍થિત રહેશે.

(12:08 pm IST)