Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જામનગરના સ્વ.અલ્પનાબેન સંઘવી પરિવાર દ્વારા ચક્ષુદાન

જામનગર,તા.૨૩ : જૈન પરિવારનાં ધિરેનભાઇ પ્રવીણચંદ્ર સંઘવી ના ધર્મ પત્ની સ્વ. અલ્પનાબેન ડી. સંઘવી ઉ.વર્ષ ૫૦ અરિહંત શરણ પામતા તેમના દિયર અમિતભાઈ સંઘવી (જૈન સોશિયલ ગ્રુપ ડાઉન ટાઉન જામનગરના પૂર્વ પ્રમુખ) દ્વારા તેમની ઈચ્છા અનુસાર ચક્ષુદાનનું દાન જામનગર સિવિલ હોસ્પિટલને કરવામાં આવેલ. અને સદગત સ્વ. અલ્પનાબેન જતા જતા બે દ્રષ્ટિહીન બાંધવોને દૃષ્ટિનું દાન આપીને ગયા. જામનગર મા ચક્ષુદાન કરવા માટે મુગટભાઈ શાહ મોબાઈલ નં. ૮૮૬૬૭ ૨૬૦૭૨ તથા મુકેશભાઈ સુતરીયા મોબાઈલ નં. ૯૯૯૮૯ ૬૦૦૫૦ નો સંપર્ક કરવો. વિવેકાનંદ યુથ કલબના માર્ગ દર્શક મુકેશભાઈ દોશી અને અનુપમભાઈ દોશી તથા જૈન સોશિયલ ગ્રુપ આઇ ડોનેશનના ચેરમેન ઉપેનભાઈ મોદી દ્વારા આ ૪૫મુ ચક્ષુદાન કરવામાં આવેલ છે.

વિશેષ માહિતી પૂછપરછ માટે અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬ તેમજ ઉપેનભાઈ મોદી  ૯૮૨૪૦ ૪૩૧૪૩ નો સંપર્ક સાધવા અપીલ છે.

(12:23 pm IST)