Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રવિવારે ભાવનગરમાં રાજગોર સમાજની વાડી નવનિર્માણ અને ટ્રેનીંગ સેન્‍ટરનું પૂ.મૂકતાનંદબાપુના હસ્‍તે ભૂમિપૂજન

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘની નવનિયુકત ટીમનું સન્‍માન સહિતના કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩ : સમસ્‍ત રાજગોર (કાઠીગોર) જ્ઞાતિ વાડી નિર્માણ સમિતિ ભાવનગર દ્વારા આગામી તા. ૨૭ને રવિવારના રોજ ભુમિપૂજન અને રા.બ્રા. જ્ઞાતિ સેવા સંઘનો નવનિયુકત ટીમનો સન્‍માન સમારોહ યોજાનાર છે.

જીતુભાઇ બોરીસાગરએ જણાવ્‍યું હતું કે પૂ.મૂકતાનંદબાપુના અધ્‍યક્ષ સ્‍થાને પૂ.રામબાલકદાસબાપુના આશિર્વાદથી ભાવગનર ખાતે વાડી નિર્માણ તેમજ રાજગોર જ્ઞાતિના પરિવારોના ઉજ્જવળ તારલાઓના ભવિષ્‍ય નિર્માણ માટે ટ્રેનિંગ સેન્‍ટર નિર્માણ માટેનું સ્‍વપ્‍ન સાકાર થવા તરફ પ્રયાણ રૂપે સવારે ૧૦ કલાકે પૂ. મુકતાનંદબાપુના હસ્‍તે ભૂમિપૂજન કરાશે. સવારે ૧૦ : ૩૦ થી ૧૧ કલાકે સંતોના સામૈયા કરાશે ભૂમિપૂજનનું સ્‍થળ સિંધુનગર અને કાર્યક્રમનું સ્‍થળ વિનોદરાય પુરોહિત પરિવાર આયોજીત ભાગવત સપ્‍તાહ ભાયાણીની વાડી ખાતે રાખેલ છે.બપોરે ૧૦:૩૦ થી ૧૨ વાગ્‍યા સુધી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના નવનિયુકત પ્રમુખ યુવા ઉદ્યોગપતિ બંકિમભાઇ મહેતા ઉપપ્રમુખ વાસુદેવભાઇ જોષી તેમજ મંત્રી સંજયભાઇ દવે, સહમંત્રી જીતેન્‍દ્રભાઇ બોરીસાગર, ખજાનચી ભવસુખભાઇ મંડિર ઓડીટર કમલેશભાઇ ભરાડ સહિતના ટીમનું સન્‍માન કરવામાં આવશે.ત્‍યારબાદ પૂ.મૂકતાનંદબાપુ સહિતના સંતો મહંતો આશિર્વચન આપશે અને સમુહ ભોજન, પ્રસાદ સૌ જ્ઞાતિજનો લેશે તેમ જીતુભાઇ બોરીસાગરએ અંતમાં જણાવ્‍યું છે.

 

(11:02 am IST)