Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પોરબંદર સાંદીપનિમાં જગતગુરૂ શંકરાચાર્ય અને પૂ.ભાઇશ્રીની ઉપસ્‍થિતીમાં ધર્મસભા

જૂનાગઢ : પોરબંદર શ્રીહરિમંદિર સાંદીપનિ સભાગૃહ ખાતે અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ અને પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પાવન ઉપસ્‍થિતીમાં ધર્મસભા યોજાઇ હતી. જેમાં ઉપરોકત તસ્‍વીરમાં ધર્મસભામાં દિપ પ્રાગટય સાથે પ્રારંભ કરાવતા પૂ.ભાઇશ્રી તેમજ સ્‍વામી સંદાનંદ સરસ્‍વતીજીનું સાલ ઓઢાડી સન્‍માન પત્ર અર્પણ કરી સન્‍માન કરતા પૂ. ભાઇશ્રી અને ધર્મસભામાં ઉપસ્‍થિત સંતો તેમજ ઋષિકુમારો તેમજ ગૌતમભાઇ ઓઝા તથા ટ્રસ્‍ટીઓ નજરે પડે છે. સ્‍વામી સદાનંદસરસ્‍વતી પૂ.ભાઇશ્રીએ ધર્મસભામાં પ્રેરક પ્રવચન આપ્‍યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:58 am IST)