Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મોરબીમાં જન્‍મદિવસ પ્રસંગે નિદાન કેમ્‍પ યોજાયો

 મોરબી : નિવાસી હાલ મુંબઈ રહેતા કમલેશભાઈ શશીકાંતભાઈ મેહતાના જન્‍મદિવસ પ્રસંગે કાલિકા પ્‍લોટ વિસ્‍તારમાં નિશુલ્‍ક નિદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. કાલિકા પ્‍લોટમાં યોજાયેલ નિશુલ્‍ક નિદાન કેમ્‍પમાં ડો. હસ્‍તીબેન મેહતાએ સેવા આપી હતી. કેમ્‍પમાં તેઓએ દર્દીઓના વિવિધ રોગનું નિદાન કરી ત્રણ દિવસની નિશુલ્‍ક દવા આપી હતી તેમજ દરેક દર્દીનું વજન કરીને જરૂરત મુજબ બીપી ચેકઅપ અને બ્‍લડ સુગર ટેસ્‍ટ કરી આપ્‍યા હતા. જે કેમ્‍પનો મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો. કેમ્‍પને સફળ બનાવવા ચંદ્રલેખાબેન મેહતા, કોઠારીભાઈ, રશ્‍મીભાઈ, અમીતાબેન દફતરી, હર્ષાબેન દફતરી, જીગર ભટ્ટ અને નરેશભાઈ ગોહેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : પ્રવિણ વ્‍યાસ મોરબી)

(10:41 am IST)