Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જૂનાગઢમાં શુક્રવારે એસ.ટી. નિવૃત્ત કર્મચારીઓની મિટીંગ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૩ : એસ.ટી. નિવૃત્ત કામદાર સંગઠન વિભાગના પ્રમુખ પી.વી.ઠાકર દ્વારા એસ.ટી.ના નિવૃત્ત કામદાર માટે જણાવ્‍યું હતું કે હાલમાં જ સુપ્રિમ કોર્ટ દ્વારા પેન્‍શન અંગે જે ચુકાદો આપેલ છે. તેની વિગતવાર ચર્ચા વિચારણા કરવા માટે એસ.ટી. બસ સ્‍ટેશન નજીક અને તળાવની પાળે આવેલ શહીદ પાર્કમાં તા. ૨૫ બપોરે ૧૧ વાગ્‍યે મળવા આવવાનું છે. જેમાં વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન કોઇપણ ફી કે ફાળો ઉઘરાવ્‍યા સિવાય ફકત નિવૃત્તોને મદદરૂપ થવા માટે મિટીંગ યોજાશે. વધુ માહિતી માટે વોટસએપ ફોનની વિગત મો. ૯૯૨૫૧ ૮૭૩૩૬ પર મોકલી આપવા જેથી પેન્‍શન અંગેના ખાસ કોઇ સમાચાર હોય તો જાણ કરી શકાય તેમ વી.પી. ઠાકરની યાદીમાં જણાવેલ છે.

(12:23 pm IST)