Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

બ્રિજેશભાઈ મેરજાએ સહકારી આગેવાન વલ્લભભાઈ પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ પાઠવી.

મોરબી :સહકારી મહર્ષિ, છોટે સરદાર, અસરદાર ખેડૂત નેતા તરીકે જાણાતી વલ્લભભાઈ પટેલની 33મી પુણ્યતિથિ હોય બ્રિજેશભાઈ મેરજાએ વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ પાઠવી છે.

બ્રિજેશભાઈ  મેરજાએ વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ ગોંડલ તાલુકાના કોલીથડ ગામે હાજરી આપીને વલ્લભભાઈ પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ તકે બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મેં વલ્લભભાઈ પટેલના પી. એ. તરીકે 10 વર્ષ કામ કર્યું, હાર્ડ વર્ક, પ્રામાણિકતા, સમભાવ, પારદર્શિતા, સિદ્ધાંત, સાદગી, નિયમિતતા, નીતિમત્તા, વહીવટીદક્ષતા, નિષ્કામ કર્મ, પંચાયત, સહકારી અને કૃષિ ક્ષેત્રે કામગીરીનો અનુભવ કેળવ્યો. વલ્લભભાઈ પટેલ પણ સૌરાષ્ટ્ર સરકારમાં વર્ગ -1 સહકારી અધિકારી હતા, રાજીનામું આપીને રાજનીતિમાં આવ્યા હતા.

(12:54 am IST)