Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ગ્રાફોલોજી વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું

(વિપુલ હિરાણી દ્વારા :ભાવનગર: સુપ્રસિદ્ધ ગ્રાફોલોજિસ્ટ જે ને વિશ્વની પ્રથમ મહિલાનો ખિતાબ મળ્યો છે. તેવા ભાવનગરના ડો. કૌશલ્યાબેન દેસાઈ જેણે અનેકવાર ગ્રાફોલોજીના ફ્રી સેમિનાર કર્યા છે. તેના દ્વારા અંધ ઉદ્યોગ શાળા ભાવનગરમાં તા. 22- 3 – 2023ના રોજ ગ્રાફોલોજી વિષય પર લેક્ચર લેવામાં આવ્યું હતું અંધ ઉદ્યોગ શાળાના બાળકોને તથા શિક્ષકોને ગ્રાફોલોજીનું જ્ઞાન મળે તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાભુભાઈ ટી સોનાણી,પાઠક મહેશભાઈ, પંકજભાઈ પાઠક ,હેમંતભાઈ ગાંધી, રાગીણીબેન ગાંધી, હર્ષકાંતભાઈ રાકશિયા, ઉપસ્થિત રહ્યા હતા.

(6:31 pm IST)