Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

જુનાગઢના પુ.ઇન્દ્રભારતી બાપુનો આજે જન્મોત્સવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૩: જુનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને શ્રી પંચદશનામ જુના આખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર સંત મંડળના અધ્યક્ષ પુ. ઇન્દ્રભારતીજી મહારાજનો આજે (તિથી મુજબ) ચૈત્ર સુદ બીજના રોજ જન્મ દિવસ છે.

ત્યારે પુ. બાપુએ સૌ સેવક ગણને જણાવ્યુ઼ છે કે સર્વની મારી પ્રાર્થના છે કે આપશ્રી આપનો કિંમતી સમય કાઢીને ભગવાન પાસે મારા જન્મદિવસે મારા વતી પ્રાર્થના કરજો કે આપણા દેશના સીમાડા સાચવીને બેઠેલા આપણા દેશના જવાનો જે સાચા દેશભકત છે તેમને ઇશ્વર જાજુ આયુષ્ય અને શરીરમાં તંદુરસ્તી  આપે તેવી એક વિનંતી કરી છે. પુ. બાપુને જન્મદિન નિમીતે મો.નં. ૯૯રપ૬ ૪પ૪૪પ ઉપર સાધુ સંતો સેવકો અભિનંદન વરસાવી રહયા છે.

(1:56 pm IST)