Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મોરબી : દંપતીએ લીધો એવો નિર્ણય કે મળત્‍યુ બાદ પણ તેઓ જીવંત રહેશે!

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૩: શરીર નાશવંત છે દરેક મનુષ્‍યને એક દિવસ દુનિયામાંથી વિદાય લેવાની જ હોય છે તે નક્કી છે જોકે મળત્‍યુ બાદ પણ જીવંત રહેવું હોય તો દેહ દાન કરી સકાય છે મળત્‍યુ બાદ પોતાના શરીરના અંગોનું દાન કરવાથી અન્‍યને નવું જીવન મળી સકે છે ત્‍યારે મોરબીના દંપતીએ સાથે દેહદાનનો સંકલ્‍પ કર્યો છે.

મોરબીના જયંતીભાઈ જેરાજ્‍ભાઈ આંખજા અને રંજનબેન જયંતીભાઈ આંખજા એમ બંને પતિ-પત્‍નીએ મળત્‍યુ બાદ પોતાનું શરીર અન્‍ય લોકોને ઉપયોગી બને તેવા હેતુથી દંપતીએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે દેહદાન કરી અનોખી પહેલ કરી છે સાથે જ મોરબીમાં નિરાધાર પાટીદાર પરિવાર માટે ચાલતા ઉમિયા માનવ સેવા ટ્રસ્‍ટમાં દર વર્ષે રૂ ૫૧,૦૦૦ નું અનુદાન અર્પણ કરી કાયમી દાતા તરીકે પણ નામ નોંધાવ્‍યું છે.

(11:54 am IST)