Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મોરબીની માધાપરવાડી શાળાનું શિષ્‍યવળતિ પરીક્ષાનું ઝળહળતું પરિણામ, તમામ ૧૩ વિદ્યાર્થીઓ ઉતીર્ણ

ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે લેવાતી NMMS પરીક્ષામાં ૧૩ માંથી ૧૩ વિદ્યાર્થી પાસ

મોરબી, તા. ૨૩ : માધાપરવાડી કન્‍યા શાળા સ્‍કૂલ ઓફ એક્‍સીલન્‍સ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે જાણીતી છે ત્‍યારે શાળાની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે,ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મેરીટ મિન્‍સ સ્‍કોલરશીપ પરીક્ષામાં ૧૦૦% વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્‍છાઓ પાઠવેલ છે.જેમાં પરમાર હારા નિતીનભાઈ ૧૨૮, ચાવડા ડિમ્‍પલ રાજેશભાઈ ૧૦૧,હડિયલ રાધિકા રમેશભાઈ ૯૮, ડાભી પૂજા શાંતિલાલ ૯૩, પરમાર મીરા દિનેશભાઈ ૯૦, ચાવડા રસ્‍મિતા હસમુખભાઈ ૮૮, કંઝારિયા નેહલ ભાવેશભાઈ ૮૮, ડાભી ધ્રુવિતા મહેશભાઈ ૮૪, પરમાર તેજલ હરિભાઈ ૮૧, હડિયલ નિરાલી મહાદેવભાઈ ૮૦, પરમાર સગુણા શાંતિલાલ ૭૯, પરમાર ઊર્મિલા બેચરભાઈ ૭૮, કંઝારિયા પૂજા સંજયભાઈ ૭૬ નો સમાવેશ થાય છે.

(11:53 am IST)