Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વિસાવદરના કાલસારીમાંથી સુરતી સગીરાનું અપહરણ

જુનાગઢ તા. ર૩ : વિસાવદરના કાલસરીમાંથી સુરતી સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળેલ છે.

વિસાવદર નજીકના કાલસરી ગામનો વતની એક પરિવાર હાલ સુરતના પુણે ગામના વિક્રમનગરમાં રહે છ.ે તેની સગીર વયની પુત્રી તાજેતરમાં કાલસારી આવેલ.

ત્યારે સુરતમાં આ પરિવારની પડોશમાં રહેતો યોગેશ નકુમ પણ કાલસારી પહોંચ્યો હતો અને સગીરાને લલચાવી ફોસલાવી તેનું ગત તા.ર૧ના રોજ અપહરણ કરી ગયો હતો.

આ સગીરાના રત્નકલાકાર પિતાએ ગઇકાલે ફરીયાદ કરતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)