Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પાક. મરીન દ્વારા વધુ પ બોટ સાથે ૨૮ માછીમારોના અપહરણ

પોરબંદર : જખૌ જળ સીમાએ પાકિસ્તાન મરીન દ્વારા પ બોટ સાથે ૨૮ માછીમારોના અપહરણ કરી ગયેલ છે. આ મહિનાની શરૂઆતમાં ૭ બોટ સાથે ૪૨ માછીમારોના અપહરણ થયેલ ત્યારબાદ ફરી પાક. મરીન જળ સીમાએ અશાંતિના પ્રયાસ શરૂ કરેલ છે.

પાકિસ્તાન સરકારે પાકિસ્તાનની જેલમાં રહેલ ૨૯૬ માછીમારોને છોડવાની તાજેતરમાં જાહેરાત કરી હતી અને બીજા દિવસે વધુ પ બોટ સાથે ર૮ માછીમારોના અપહરણ કરી ગયેલ છે.  શુભલક્ષ્મી, હિરાવંતી, સાગર સમ્રાટ, સીતારા અને દેવરાજ નામની બોટના અપહરણ થયેલ છે.

(7:52 pm IST)