Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ગારીયાધારમાં શ્રી શેત્ર્યુંજય ગિરીરાજનો છ'રિ પાલીત સંઘ

ગારીયાધારઃ શ્વેતામ્બર મૂર્તિપુજક જૈન સંઘના ઉપક્રમે યુગ દિવાકર શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પુ.આ. શ્રી મહાનંદસૂરીશ્વરજી મ. સાહેબ, પુ.આ.શ્રી પદ્મરત્નસૂરીશ્વરજી મ.સા., પુ.આ.શ્રી મહાધર્મસૂરીશ્વરજી મ.સા., પુ.આ. શ્રી પદ્મજયસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા તેમજ પૂ.સાધ્વીશ્રી દિવ્યાશ્રીજી મ.સા., પૂ.સાધ્વી શ્રી લલિતરમાશ્રીજી મ.સા.,  પૂ. સાધ્વીશ્રી જયપૂર્ણાશ્રીજી મ.સા., પૂ.સાધ્વી શ્રી આગમરસાશ્રીજી મ.સા., પુ.સાધ્વી શ્રી જયોતિગુણાશ્રીજી મ.સા આદિ ઠાણાની પાવન નિશ્રામાં ગારીયાધારથી શ્રી શેત્રુંજય ગિરિરાજના છ' પાલિત પદયાત્રા સંઘ શુભ પ્રયાણ થશે.  આ પદયાત્રા સંઘમાં મુખ્ય આધાર સંઘપતિ તરીકે માતૃશ્રી લીલમબેન ગંભીરદાસ શાહ પરિવાર છે. મનસુખલાલ શાહ અને ચંપાબેન કાંતિલાલ ભાયાણી દ્વારા પણ મુખ્ય સંઘપતિ લીધો છે. ૩૪ જેટલા મહાનુભાવોએ સહસંઘપતિ બનીને છ'રિ પાલિત સંઘ કાર્યક્રમમાં સારૂ યોગદાન આપ્યું છે. આ છ'રિ પાલિત સંઘ તા.રપને સોમવારે સંઘની સંઘમાળ થશે. જેમાં સૌ ગારીયાધાર ઉપરાંતના જૈનો જોડાશે. (તસ્વીર-અહેવાલઃ ચિરાગ ચાવડા - ગારીયાધાર)

(11:35 am IST)