Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જેતપુરમાં વાલ્મિકી મહિલા રીટાબેન વાઘેલાની ઝેરી દવા પી આત્મહત્યા

રાજકોટ તા.૨૨:જેતપુરના વાલ્મિકી વાસમાં રહેતાં રીટાબેન જગદીશભાઇ વાઘેલા (ઉ.૪૦) નામના વાલ્મિકી મહિલાએ ગઇકાલે સાંજે ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જેતપુર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રીટાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જગદીશભાઇ છુટક મજૂરી કરે છે. આપઘાતનું કારણ જાણવા જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)