Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મોરબીનાં રફાળેશ્વરમાં પરપ્રાંતીય મહિલા બે બાળકો સાથે ગુમ...

મોરબીમાં નદીકાંઠેની વૃધ્ધા શાંતુબેન બોરીયાની લાશ મળી

મોરબી તા.૨૨ :મોરબીના રફાળેશ્વર ગામે ભાડાના મકાનમાં રહેતા યુપીની પરિણીતા પોતાના બે બાળકો સાથે ગુમ થતા તેના પતિએ ગુમસુદાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના રહેવાસી અને રફાળેશ્વર ગામે ભાડાનું મકાન રાખીને રહેતા ગુલાબસિંહ વિજયસિંહ ચંદેલ (ઠાકુર) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની અનિતાબેન (ઉ.વ.૨૩) તેના બે બાળકો બીસાલસિંગ (ઉ.વ.૧૦) અને સોના ઉર્ફે બીના (ઉ.વ.૦૩) સાથે તા. ૨૧ ના રોજ સવારે દસેક વાગ્યાથી કોઈને કહ્યા વિના ચાલ્યા ગયેલ છે જેના પતિએ પત્ની અને બાળકોની શોધખોળ આદરી હતી જોકે કયાય પતો નહિ લાગતા આખરે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે પરિણીતા બે બાળકો સાથે ગુમ થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. મોરબીના વિસીપરાના સ્મશાન નજીક નદીના કાંઠેથી ૬૦ વર્ષની વૃદ્ઘાનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં પોલીસના જણાવ્યા અનુસાર મરણ જનાર શાંતુબેન મોતીભાઈ બોરિયા (ઉ.વ.૬૦) રહે. રોહીદાસપરા મોરબી વાળા હોવાનું જાણવા મળ્યું છે અને વૃધ્ધાનું મોત નદીમાં ડૂબી જતા નીપજયું છે જોકે બનાવ અકસ્માતનો છે કે વૃધ્ધાએ નદીમાં ઝંપલાવ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે. વૃદ્ઘાના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(11:25 am IST)