Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જુનાગઢ વોર્ડ નં.૧૦ના નિર્મલનગરમાં ભયજનક ખુલ્લા વોકળાની સમસ્યા

કોર્પોરેટરો દ્વારા કમિશ્નરને રજુઆત

જુનાગઢ તા.રર : વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરો એભાભાઇ પી.કટારા, ચંદ્રીકા જી. રાખશીયા, મોહનભાઇ એસ. પરમાર સહિતનાએ કમિશ્નરશ્રી મહાનગરપાલિકાને પત્ર પાઠવીને વોર્ડ નં.૧૦માં નિર્મલનગરમાં આવેલ સોનાપુર રોડના વોકળો પેક કરવા મુદે રજુઆત કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૦માં આવેલ નિર્મલનગર સોનાપુર રોડ ખાતે આવેલ વરસાદી પાણીનો વોંકળો કે જેને અડીને નિર્મલનગર સોસાયટી આવેલ છે, આ સોસાયટીમાં વસતા નાગરીકો, બાળકો અને મહિલાઓ રોજબરોજના આવવા-જવાનો માર્ગ છે ત્યારે આ વોંકળો ખુલ્લો અને ભયજનક છે.

ભયજનક વોંકળો પેક કરી આપી લોકોની જાનહાની ના થાય તે બાબતને લઇ વોર્ડના અમો કોર્પોરેટરોએ અનેકવાર રજુઆત કરી છે પરંતુ કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે તાત્કાલિક ધોરણે કોઇ જાનહાની થાય, અહી વસતા લોકો પર કોઇ ભય ઉભો થાય તે પહેલા યુધ્ધના ધોરણે આ વોંકળો પેક કરવા કાર્યવાહી કરાવવા અને પશુઓ વારંવાર આ વોંકળામાં પડી જતા હોઇ, આગામી દિવસોમાં આ વોંકળામાં કોઇ પડી જશે કે જાનહાની થશે તો જવાબદારી કોની ? તેવા પ્રશ્નો કોર્પોરેટરોએ ઉઠાવ્યા છે.

(9:54 am IST)