Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જુનાગઢઃ પીછવા - પીછવી ગામના લોકો સામેનો ગુન્હો પરત ખેંચાયો

જૂનાગઢ તા. ૨૨ : સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રાજેશભાઇ ચુડાસમાની રજુઆતના કારણે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવાયો છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના પીછવા - પીછવી ગામના નિર્દોષ ૯૨ લોકો ઉપર અમુક લોકો દ્વારા ગત તા. ૧૮-૫-૨૦૧૬ના રોજ હીચકારો હુમલો કરાયો હતો.

આ અંગે ગામ લોકો દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ, જે અંગેનો કેસ સેશન્સ કોર્ટ ઉના મુકામે ચાલુ હતો. તેમાં રાજ્ય સરકારના હુકમના આધારે આ કેસ તા. ૧૯-૧૨-૨૦૧૭ના રોજ પરત ખેંચવામાં આવેલ છે અને નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવેલ. પીછવા - પીછવી ગામના લોકો મુખ્યમંત્રી તથા કાયદા મંત્રી ગુજરાત સરકાર તથા સાંસદનો આભાર વ્યકત કરે છે તેવું શહેર ભાજપના કાર્યાલય મંત્રી તથા યુવા એડવોકેટ રોહિત મકવાણાની યાદીમાં જણાવ્યું છે.

(9:00 am IST)