Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વાંકાનેરના માટેલ શ્રી ખોડિયાર માતાજી મંદિરે શ્રી ખોડિયાર જયંતિની ઉજવણી

વાંકાનેર,તા. ૨૦: વાંકાનેર તાલુકાના અને મોરબી જિલ્લા ના જગ વિખ્‍યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર , માટેલધરા ખાતે આજરોજ શ્રી ખોડિયાર જયંતી ના પાવન પુણ્‍યશાળી અવસરે આસ્‍થાભેર ભક્‍તિમય ના દિવ્‍ય વાતાવરણ વચ્‍ચે ઉજવણી થયેલ છે.સવારે માતાજીનુ પૂજન અર્ચનવિધિ , મહા આરતી તેમજ સવારે ૯:૩૦ કલાકે બાવન ગજની ધજારોહણઃ વિધિ મંદિર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ અસંખ્‍ય ભાવિક ભક્‍તજનોએ ધજા ચડાવેલ છે.

જય જય ખોડિયારના નારાથી અત્‍યારે વાતાવરણ માટેલ માં ગુંજી રહેલ છે. ખોડિયાર માતાજી કી જય નારા થી વાતાવરણ ગુંજી ઉઠેલ છે ,, મંદિર ના મહંત શ્રી રણછોડદાસબાપુ ના માર્ગદર્શન હેઠળ આજે મહા પ્રસાદ ની પણ સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે સવારે પૂજારી શ્રી ખોડીદાસબાપુ , શ્રી રણુદાસબાપુ , શ્રી જગદીશબાપુ, શ્રી વિશાલભાઈ, ચેતનભાઈ, દ્વારા માતાજી નુ પૂજન કરવામાં આવેલ હતું આજે દૂર દૂરથી માટેલધરા ખાતે ભાવિકો આઇશ્રી ખોડિયાર માતાજી ના દર્શન કરવા , મહા આરતીનો લાભ લેવા પહોંચી ગયા છે. આજે ખોડિયાર માતાજી નો જન્‍મદિવસ હોય માટેલધરા ખાતે નિજ મંદિર આખું પુષ્‍પહાર થી સજાવટ કરવામાં આવેલ છે તેમજ અનેરા પુષ્‍પો થી સુંદર રંગોળી કરવામાં આવેલ છે.

વિશાલભાઈના જણાવ્‍યા અનુસાર આજે શ્રી ખોડિયાર જયંતી હોય ભાવિક ભક્‍તજનોમાં અનેરો આનંદ ઉત્‍સાહ સવારથી માટેલમાં જોવા મળી રહેલ છે સહુ ભાવિક ભક્‍તજનો માતાજી ના દર્શન કરીને તન, મનને શાંતિ મેળવી આજે ધન્‍યતા અનુભવી રહ્યા છે તેમજ માટેલધરાનુ પવિત્ર જળ લઈને સહુ આજે જાય છે  બપોરે અગિયાર વાગ્‍યાથી જ મહા પ્રસાદ ચાલુ થયેલ હતો , જે બપોરના ત્રણ વાગ્‍યાં સુધી ચાલશે તેમજ સાંજે માતાજીની દીપમાળાની મહા આરતી , કરવામાં આવશે જે યાદી આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરાના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા તેમજ માટેલ મંદિર ના ભક્‍તજન હિતેશ રાચ્‍છે જણાવેલ છે.

(11:54 am IST)