Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ધોરાજી ખાતે બ્રહ્મચોર્યાસી યોજાઈ

 ધોરાજી : ધોરાજી ખાતે વસવાટ કરતા રાજગોર બ્રાહ્મણ અને સમસ્‍ત બ્રહ્મ સમાજના ટ્રસ્‍ટી જગદીશભાઈ ગામોટ અને પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું હતુ. પિતળ વંદના તેમજ બ્રહ્મ ચોર્યાસીમાં ધારાસભ્‍ય લલિત ભાઇ વસોયા, પાલિકાના કારોબારી અધ્‍યક્ષ જગદીશભાઈ રાખોલીયા, ઉપપ્રમુખ ઇમ્‍તિયાઝ ભાઈ પોઠિયાવાલા, બ્રહ્મ અગ્રણી પ્રદીપભાઈ જોશી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ભરતભાઇ બગડા, હુસેનભાઇ કુરેશી, વિમલભાઈ સોંદરવા, સહીત મહાનુભાવોનું સન્‍માન કરવામા આવ્‍યુ હતુ. તેમજ સમસ્‍ત બ્રહ્મ સમાજ નાં સભ્‍યો, યુવા પાંખ, મહીલા પાંખ દ્વારા યજમાન ગામોટ પરિવારના અરવિંદભાઈ, મહાસુખભાઇ, રમેશભાઇ અને જગદીશભાઈ તેમજ પરિવારજનોનું  બહુમાન કરવામાં આવ્‍યું હતુ. બ્રહ્મ ચોર્યાસીમાં સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. નિશીથભાઈ વ્‍યાસ, ડો. બી.બી.જાની, ડો.નિલેશ જોશી, સરકારી વકીલ કાર્તિકેયભાઈ પારેખ, સંદીપભાઈ શુક્‍લ, વિષેશ રૂપે ઉપસ્‍થિત રહ્યા હતાં.યોજાયેલ ચોર્યાસિમાં બે હજાર થી વધુ ભૂદેવો એ મંત્રોચ્‍ચાર સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(1:31 pm IST)