Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સુત્રાપાડાના કણજોતર ગામે પ્રા. શાળા ખાતે બાળકોને પોલિયાના ડોઝ અપાયા સુત્રાપાડા

 પોલિયો દિવસ ૧૮ સપ્‍ટેમ્‍બર રવિવારના રોજ રસીકરણ અભિયાન અંતર્ગતમાં પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયાની રસીના ટીપા પીવડાવવાનો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે ધામળેજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના ડોક્‍ટર પરમારના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકર્તાના કર્મચારી દ્વારા ભૂલકાઓને રસી પીડાવવામાં આવી હતી. ખાસ કરીને આંગણવાડીના કર્મચારી દ્વારા કોઇ બાળક રસીથી વંચિત ન રહે તે માટે ઘરે ઘરે જઈ અને ખાસ કાળજી લેવામાં આવી હતી અને તેમજ વાલીઓને અપીલ કરવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી સુત્રાપાડા)

(12:06 pm IST)