Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોરાજીમાં ઝુલુસ વગર તાજીયા ટાઢા થયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી :  મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા માતમ માં દર્શાવવામાં આવ્યા પરંતુ કોઈ જ ઝુલુસ કાઢવામાં નહીં આવે તે બાબતે પૂરી તકેદારી રાખવામાં આવી હતી અને આજે વહેલી સવારે તાજીયા ટાઢા થઇ ગયા હતા ૭૦ જેટલા નાના-મોટા તાજીયા માતમમાં આવ્યા હતા ગઈકાલે સાંજે નિયમ પ્રમાણે વિશાળ જુલુસ નીકળતું હોય છે પરંતુ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા તેમજ ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા વિગેરેના માર્ગદર્શન હેઠળ આગેવાનોની તેમજ તાજિયા કમિટીના આગેવાનો સાથે મિટિંગ યોજી સરકારના નિયમ પ્રમાણે જુલુસ નહીં કાઢવા વિનંતી કરી હતી જેના અનુસંધાને માત્ર તાજીયા તે સ્થાન ઉપર રાખવામાં આવ્યા હતા એ જ પોતાના સ્થાન પર રાખવામાં આવ્યા છે માણસો વધુ ભેગા ના થાય તે બાબતની તકેદારી રાખવામાં આવી છે અને ઝુલુસ ઉપર પ્રતિબંધ હોય જેથી આખી રાત તે જ સ્થળે તાજીયા રાખ્યા હતા અને આજે કબ્રસ્તાનએ લઈ ગયા હતા. આગેવાનો હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોજભાઈલક્કડકુંટા મેમણ સમાજના યુવા અગ્રણી રિયાઝભાઈ દાદાણી ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ મકબુલભાઈ ગરાણા બાસીદ ભાઈ પાનવાલા તેમજ લદ્યુમતી મોરચાના શબ્બીરભાઈ ગારાણા બોદુ ભાઈ ચૌહાણ મતીનબાપુ સૈયદ હુસેનભાઇ કુરેશી વિગેરે મુસ્લિમ સમાજના આગેવાનો ધોરાજીમાં ભાઈચારો અને કોમી એકતા દર્શાવતી બાબતે ખાસ તકેદારી રાખી છે મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા પીએસઆઇ ગાંગડા વિગેરે પોલીસ સ્ટાફ સધન પોલીસ બંદોબસ્ત સાથે ધોરાજીમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કર્યું હતું. 

(12:02 pm IST)