Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોરબી : ધો. ૧૨ના વાણિજ્‍ય વ્‍યવસ્‍થા અને ગણિતના પેપરમાં ૩૪, ૧૦ની પરીક્ષામાં ૨૬૩ વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી તા. ૨૧: મોરબી જિલ્લામાં  સોમવારે બપોરના સેશનમાં ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં વાણિજ્‍ય વ્‍યવસ્‍થા અને ગણિત તેમજ અનિવાર્ય વ્‍યાકરણ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો.૧૨માં વાણિજ્‍ય વ્‍યવસ્‍થા વિષયના પેપરની કુલ ૫૫૯૫માંથી ૩૨ ગેરહાજર અને ૫૫૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જ્‍યારે ગણિતના પેપરમાં કુલ ૫૫માંથી ૧ ગેરહાજર અને ૫૪ હજાર તેમજ અનિવાર્ય વ્‍યાકરણમમાં કુલ ૧૬ માંથી ૧ ગેરહાજર અને ૧૫ હજાર મળી આ ત્રણેય વિષયમાં કુલ ૬૧૬૬માંથી ૩૪ ગેરહાજર અને ૬૧૩૨ હજાર રહ્યા હતા.

મોરબી જીલ્લામાં આજે ધોરણ ૧૦ની પરીક્ષામાં વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્‍યમના ૨૬૧ અને અંગ્રેજી માધ્‍યમના ૦૧ મળીને કુલ ૨૬૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૨,૬૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે વિજ્ઞાન (સંસ્‍કળત પ્રથમા) વિષયના પેપરમાં એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો અને ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજે મોરબી જીલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં કુલ ૨૬૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૨,૬૮૮ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

(1:19 pm IST)