Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

શાસ્ત્રી પૂ. ભકિતપ્રિયદાસ મહારાજની નિશ્રામાં

કાલથી ગઢડાના શિક્ષાપત્રી મંદિરે મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવઃ શિક્ષાપત્રી ભાગ્‍યની કથા

કાલે છારોડીના પૂ. શાષાી માધવપ્રિયદાસજીનું પ્રવચન

ભાવનગર તા. ર૧ :.. ગઢડા (સ્‍વામી) ના સ્‍વામિનારાયણ શિક્ષાપત્રી મંદિરે કાલે તા. રર જાન્‍યુ.થી મૂર્ર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સ્‍વનો પ્રારંભ થશે.

કોઠારી સ્‍વામી પૂ. ભકિતપ્રિયદાસજી મહારાજના જણાવ્‍યા અનુસાર તા. રર જાન્‍યુ. સવારે ૮-૩૦ થી ૧૦ પોથીયાત્રા ત્‍યારબાદ પોથી પુજા તેમજ આજ દિને સવાર ૧૧ થી ૧ર-૩૦ પ્રથમ સત્ર વેળા બોરસદના નિર્લેપ સ્‍વરૂપદાસજીનું પ્રવચન જયારે દ્વિતીય સત્રમાં છોરાડીના શાસ્ત્રી પૂ. માવધપ્રિયદાસજીના શ્રીમુખે વ્‍યાખ્‍યાન રાખવામાં આવેલ છે તેમણે અંતમાં જણાવ્‍યું કે તા. રપ, ર૬, જાન્‍યુ. ર૧ર બોટલ રકતદાન શીબીર અને મહોત્‍સવ સ્‍થળે તા. ર૬ જાન્‍યુ.ના સવાર ૮ થી ૮-૧પ ધ્‍વજવંદન થશે.

 

(11:34 am IST)