Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જામનગરના વિભાપરમાં ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવનું એલઇડીનુ જીવંત પ્રસારણ : રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતિ

જામનગર : જામનગરમાં   ખોડલધામ કાગવડના પાંચ વર્ષ પૂરા થતાં પંચવર્ષીય પાટોત્સવ ની વરચ્યૂલી ઉજવણી કરવામાં આવી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં વિભાપરમાં લેઉવા પટેલ સમાજ ખાતે એલઇડી સ્ક્રીન સાથે ખોડલધામ પાટોત્સવની ઊજવણી કરાઇ હતી. ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ખોડલધામના પંચવર્ષીય પાટોત્સવ લાઈવ પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું અને આસ્થા સભર આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. જામનગર જિલ્લામાં ૮૮ સ્થળે વરચયુલી ખોડલધામના પાટોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ અને વિવિધ સમાજના આગેવાનો પણ જોડાયા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:18 pm IST)