Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

અમરેલી જીલ્લામાં ત્રણના આપઘાત

અમરેલી,તા. ૨૧ : ખાંભાના ભાવરડી, ચલાલાના પાદરગઢ અને અમરેલીમાં ગળાંફાંસો ખાઇ લેવાના ત્રણ બનાવોમાં બે યુવતી અને એક પ્રૌઢનું મોત નિપજયાના બનાવો પોલીસમાં જાહેર થયેલ છે. ખાંભા તાલુકાના ભાવરડી ગામે રહેતી આશાબેન માવજીભાઇ વિઝુંડા (ઉવ.૨૦)ના લગ્ન હોય. લગ્નમાં રાસ લેવાની ના પાડતા સારૂ નહિ લાગતા પોતાની મેળે ઘરે હુંક સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યાનું પિતા માવજીભાઇ વિઝુંડાએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં ચલાલાના પાદરગઢમાં છગનભાઇ વિરાભાઇ બામટા (ઉવ.૪૫) ખેતમજુરી કરતા હોય અને તેમના લગ્ન થયેલ ન હોય. એકલવાયુ જીવન જીવતા પોતે કંટાળી ઓરડીમાં લાકડા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યાનું હરજીવનભાઇ બામટાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જ્યારે ત્રીજા બનાવમાં અમરેલી રૂપસાગર સોસાયટીમાં રહેતી રૂતાબેન ભરતભાઇ ડાભી (ઉવ.૧૭) પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યાનું વિજયભાઇ ચતુરભાઇ ડાભીને અમરેલી રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:17 pm IST)