Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાણાવાવમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનઃ ખોળ કપાસીયાના વધતા ભાવો સામે વિરોધઃ મામલતદારને આવેદન પત્ર

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ :.. પશુધન માટે ખોળ - કપાસીયા અને ભુસાના વધતા જતા ભાવો સામે પોરબંદર અને રાણાવાવ કોંગ્રેસના આગેવાનોએ વિરોધ વ્યકત કરીને માલધારીઓને સાથે રાખીને રાણાવાવમાં એક દિવસનું પ્રતિક ઉપવાસ આંદોલન કર્યુ હતું.

રાણાવાવમાં કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે જિલ્લાના રાણાવાવ તાલુકા અને કુતીયાણા તાલુકાના તમામ ગામોના માલધારીઓને કપાસીયાના ભાવ રૂ. ૧ હજારની અંદર તથા પશુને ખાવાના ભૂસાના ભાવ રૂ. ૬૦૦ ની અંદર રાખવા તેમજ ભાવ વધારે નહીં કરવા માગણી કરી હતી.

કોંગ્રેસ આગેવાનોના પ્રતિક ઉપવાસ આંદોલન બાદ રાણાવાવ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

(12:48 pm IST)