Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

છેતરપીંડીના આરોપીનો કબ્જો લેતી માંગરોળ પોલીસ

જૂનાગઢ, તા. ર૧ :  જિલ્લાના મેંદરડાના વેપારી પ્રતિકભાઈ સવજીભાઈ હિરપરા પટેલને વિશ્વાસમાં લઈ, અલગ અલગ સમયે ઘઉંની ખરીદી કરી, ઘઉંના નીકળતા રૂ. ૧૩,૬૧,૯૫૨/- વાયદાઓ કરી, નહીં આપી, વિશાવસ ઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપી દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ વલ્લભભાઈ કાળસરિયા પટેલ રહે. હડમતીયા ગીર  હાલ રહે. અમદાવાદની ધરપકડ કરી, ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવેલ અને પોલીસ રિમાન્ડ પુર્ણ થતા, જેલ હવાલે કરવામાં આવેલ હતો. જે આરોપીનો માંગરોળ પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટ થી કબજો મેળવી, માંગરોળના છેતરપિંડી વિશ્વાસઘાત ના ગુન્હામાં  ધરપકડ કરવામાં આવેલ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આરોપી દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ રહે. અમદાવાદની પૂછપરછ કરવામાં આવતા, આરોપી ભૂતકાળમાં સને ૨૦૧૨ થી આજદિન સુધી અમદાવાદ, રાજકોટ, ગોંડલ, મોરબી, ટંકારા, જૂનાગઢ, સહિતની કોર્ટમાં નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ની ૧૬ જેટલી ફરિયાદો દાખલ થયેલ છે. જેમાં તે હાજર રહેતો નહીં હોય, કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ થયાની શક્યતા આધારે જિલ્લાના તથા બહારના રાજ્યમાં આરોપીની મોડ્સ ઓપરેન્ડી બાબતે જાણ કરવામાં આવેલ હતી. જેના આધારે મધ્યપ્રદેશના જાબુંઆ પોલીસ સ્ટેશન ખાતે પણ છેતરપીંડી વિશ્વાસઘાત નો ગુન્હો નોંધાયેલ હોઈ, મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પણ ટ્રાન્સફર વોરન્ટ મેળવી, આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી વિરુદ્ધમાં હજુ પણ ઘણા ગુન્હાઓ ખુલવાની શક્યતા છે.

પકડાયેલ આરોપી દિલીપભાઈ વલ્લભભાઈ પટેલનો હાલ તો, માંગરોળ પોલીસ દ્વારા કબજો મેળવી, ધરપકડ કરવામાં આવેલ છે. ત્યારબાદ મધ્યપ્રદેશ પોલીસ દ્વારા કબજો મેળવવામાં આવશે. વધુ તપાસ માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.કે.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:23 pm IST)