Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જુનાગઢમાં દર કલાકે કોરોનાના પાંચથી વધુ નવા કેસની એન્ટ્રી

ર૪ કલાકમાં રાત્રીના ૧ર૯ સહિત જિલ્લામાં કુલ ૧પ૯ કેસ આવ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧ : જુનાગઢમાં દર કલાકે કોરોનાના પાંચથી વધુ નવા કેસની એન્ટ્રી થવા લાગી છે.

જુનાગઢ શહેર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને કારણે નવાકેસ સતત વધી રહ્યા છે ર૪ કલાક દરમ્યાન જિલ્લામાં કુલ ૧પ૯ કેસ નોંધાયા હતા.

ગઇકાલે માળીયા સિવાય સમગ્ર જિલ્લામાં કોરોનાએ પગ પેસારો કર્યો હતો જેમાં સૌથી વધુ ૧ર૯ કેસ જુનાગઢ સીટીમાં આવ્યા હતા.

જયારે જુનાગઢ તાલુકામાં ૪, કેશોદમાં ૪ તેમજ વંથલી-વિસાવદરમાં પાંચ-પાંચ કેસ નોંધાયા હતા.

મેંદરડા તાલુકામાં બે અને ભેંસાણ, માણાવદર, તથા માંગરોળમાં એક-એક વ્યકિત સંક્રમીત થઇ હતી જો કે આ ર૪ કલાકમાં માળીયા તાલુકામાં સદનસીબે એક પણ કેસ આવ્યો નહતો. જોકે જિલ્લામાં જુનાગઢ શહેરના પ૮ સહિત કુલ ૬૭ દર્દીએ કોરોનાને પરાજય આપ્યો.

(12:46 pm IST)