Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પોરબંદરમાં ગાંધીજીની પ્રતિમા પાસે પાલિકા ઉકરડો દુર કરેઃ નહીં તો કોંગ્રેસ દ્વારા આંદોલન

પોરબંદર, તા.૨૧: ગાંધીજીની પ્રતિમા પાસે પાલિકા દ્વારા સફાઇમાં ધ્યાન નહીં અપાતા ગાંધીજીની પ્રતિમા પાસે ઉકરડો થઇ ગયો છે. આ ઉકરડો દુર કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી અપાઇ છે.

કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ રાજય સરકારને કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે કમલાબાગ પોલીસે સ્ટેશન પાસે ગાંધી પ્રતિમા સ્થળની જાળવણી કરવામાં નગરપાલિકા તંત્ર ઉણું ઉતર્યુ છે. સેવા આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ મથકના આગળના ભાગે ગાંધી પ્રતિમાનું સ્થાપન કરીને આજુબાજુમાં બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાલિકા દ્વારા આ સ્થળની જાળવણી કરવામાં આવતી નહિ હોવાથી ચારે બાજુ ગંદકી રહી છે. વૃક્ષોની ડાળી કાપી લીધા પછી ગાંધીજી પગ પાસે જ ખડકી દેવામાં આવી છે. જેના કારણે ગંદકી વધી છે. ઉકરોડ બની ગયેલ છે. જો  નગરપાલિકાનું તંત્ર આ સ્થળની જાળવણી નહી કરે તો પાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

(10:03 am IST)