Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ભાવનગરમાં મોરારિબાપુના વ્યાસાસને યોજનાર રામકથા ધ્વજાસ્થંભ રોપણ વિધિ થઈ

ગોળીબાર હનુમાનજી મંદિરના કલ્યાનીબહેન સાથે ધાર્મિક, સામાજિક અગ્રણીઓ તેમજ ભાવિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ધ્વજાસ્થંભ રોપણ વિધિમાં હનુમાન ચાલીસા તથા સુંદરકાંડ પઠનમાં રામદાસ નિમાવત અને ગાયકવૃંદ જોડાયેલ

 ( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરભાવનગરમાં મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર શ્રી રામકથા માટે 'શ્રી મારુતિ ધામ' ખાતે  આજે ધ્વજાસ્થંભ રોપણ વિધિ કરવામાં આવી. હતી
શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજન સાથે જયંતભાઈ વનાણી પરિવાર દ્વારા ભાવનગરમાં જવાહર મેદાન ખાતે યોજાનાર આ રામકથા પ્રસંગે આજે  ગોળીબાર હનુમાનજી મંદિરના કલ્યાનીબહેન સાથે ધાર્મિક, સામાજિક અગ્રણીઓ તેમજ ભાવિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ધ્વજાસ્થંભ રોપણ વિધિમાં હનુમાન ચાલીસા તથા સુંદરકાંડ પઠનમાં રામદાસ નિમાવત અને ગાયકવૃંદ જોડાયેલ હતા
ભાવેણાની ભૂમિ પર 'શ્રી મારુતિ ધામ' ખાતે શનિવાર તા.૩થી રવિવાર તા.૧૧ દરમિયાન  મોરારિબાપુના શ્રીમુખે ગવાનાર શ્રી રામકથા માટે નિમિત્તમાત્ર આયોજક વનાણી પરિવાર સાથે જ ભાવિક શ્રોતાઓને ખૂબ ભાવ ઉત્સાહ રહેલો છે.

(6:30 pm IST)