Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રતનપર ખાતે એસ બી આઈ બેંકના સી.એસ.પી સેન્ટરનો આરંભ

વઢવાણઃ SBI Bank રતનપર ની મીની શાખા CSP સેન્ટર (ગ્રાહક સેવા કેન્દ્ર )નો પટેલ સોસાયટી પાસે મેઈન રોડ પર શ્રી હરિ દર્શન કોમ્પલેક્ષ ખાતે એસબીઆઈ બૈક દ્વારા મૌલિક જયંતીભાઈ મહેતાને ભારતીય સ્ટેટ બેન્કના અધિકૃત ગ્રાહક સેવા કેન્દ્રની મંજુરી આપવામાં આવેલ જેનો ઈલોરગઢ મહારાષ્ટ્ર વિશ્વકર્મા મંદિરના મહંત શ્રી મૌની બાબા મહેન્દ્રબાપુની ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવ્યો એસબીઆઈ બૈકના અધિકારી મનહરભાઈ ગેડીયા શાખા લીંબડી, વિજયભાઈ મેનેજર એસબીઆઈ રતનપર શાખા દેવાંશી એન્ટર પ્રાઈઝ અમદાવાદ ના ભરતભાઈ કડીયા, અરવિંદભાઈ મિસ્ત્રી ગાંધીનગર અને જયંતીભાઈ શાસ્ત્રીજી રતનપર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રતનપર વિસ્તાર ની પટેલ સોસાયટી, રુદ્ર સોસાયટી, ઉમિયા ટાઉનશિપ, સમર્પણ, પાટીદાર ટાઉનશિપ, ખોડીયાર નગર,ઇન્દ્રપ્રસ્થ ટાઉનશિપ, દેવનગર, વિહાર પાર્ક, મંગલમ્ પાર્ક, ખાણ વિસ્તારના એસબીઆઈ ખાતાધારકોની સુવિધા મા વધારો થયેલ છે અને પોતાના નજીક ના વિસ્તાર માં બેન્ક નુ સેવા કેન્દ્ર શરુ થતા બેન્ક મા નાણાકીય વ્યવહારો કરવા સરળ બનતા આનંદની લાગણી ફેલાઇ છે.

(11:43 am IST)