Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

લીલીયાના પ્રૌઢાનું તથા રાજુલાના ખાખબાઈમાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત

અમરેલી,તા.૨૦ :  અમરેલી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્‍યું હોય તેમ વધુ બે કમોતના બનાવો પોલીસમાં જાહેર થયાં છે. જેમાં લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે ઝેરી દવા પીજતાં પ્રૌઢાનું તથા રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિપજયું હતું.
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે ચોથાભાઈ કોળીના મકાન પાછળ વાડામાં સાવર કુંડલા રહેતી ભાવનાબેન પુનાભાઈ સોરીયા ઉ.વ.૪૦ને તા. ૧૩-૪ના સાંજના સાતયેક વાગે તેના પતિએ રસોઈ બનાવવા બાબતે કહેતા પોતાને સારૂ નહીં લાગતા પોતે પોતાની મેળે રહેણાંક મકાન પાછળ વાડામાં જઈ ઝેરી દવા પી જતાં સારવાર માટે અમરેલી સિવીલ હોસ્‍પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તા. ૧૮- ૪ના મોત નિપજયાનું સુરેશભાઈ હિરાભાઈ ટોટાએ લીલીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે રહેતા કિશોરભાઈ મનુભાઈ બાબરીયા છેલ્લા ૪ વર્ષથી સેન્‍ટિંગનું કામ કરતા હોય હાલ કોઈ કામ ધંધો મળતો ન હોય જેથી આર્થિક સંક્રામણના કારણે પોતે પોતાની મેળે ખાખબાઈ ગામે આવેલ પોતાની વાડીએ તા. ૧૮-૪ના સવારે આઠેયક વાગ્‍યે કોઇ ઝેરી દવા પીજતાં રાજુલા ડો. વાઘમશી ના દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું બાલુભાઈ મનુભાઇ બાબરીયાએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

 

 

(11:46 am IST)