Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ગોંડલની શાળાના વિદ્યાર્થીઓ ઘેર ચકલીના માળા લગાવશે

 ચકલી બચાવો અભિયાન મા ગોંડલ ની દાસીજીવણ શાળા ના ૭૫૦ વિદ્યાર્થીઓ પોતાના ઘરે ચકલી ના માળા લગાવશે. દાસીજીવણ શાળાના સંચાલક ડો.નૈમિશભાઈ ધડૂક અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ચકલી બચાવો અભિયાન અંગે વિગતવાર માહિતી આપી દરેક વિદ્યાર્થીઓને પોતાના ઘરે ચકલીના માળા લગાવવા પ્રોત્સાહિત કરવામાં આવતા શાળા સંચાલક રમેશભાઈ ધડૂક દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચકલી ના માળા નું વિતરણ કરવામાં આવ્યુ હતું. દાસીજીવન શાળા ના ડો.નૈમિશભાઈ ધડૂક, રમેશભાઈ ધડૂક, શાળાના આચાર્ય અને શિક્ષકોના સહકારથી ગોંડલમાં ચકલી બચાવ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.(૨૧.૭)

(9:36 am IST)