Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જૂનાગઢમાં ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને ન્યાય આપવાની માંગ સાથે સત્યાગ્રહ આંદોલનના ૭૯ દિવસ

તસ્વીરમાં લાખાભાઇ પરમાર આંદોલન કરતા નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ : જુનાગઢ મહાનગરના પૂર્વ મેયર લાખાભાઇ પરમારે સત્યાગ્રહ છાવણી ખાતે ૭૯ દિવસથી સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે.

ઝુપડપટ્ટી પરિષદના પ્રમુખ છેલ્લા પ૦ વર્ષથી ગરીબ લોકોના હકક માટે તેઓના સીટીમાં મકાનોના દસ્તાવેજ તેમજ વેરા પહોંચની અધિકારોની લડાઇ લડીએ છીએ જેમાં ૧૯૯૩માં જુનાગઢ મહાનગરના ઝુપડપટ્ટી વિસ્તારના લોકોએ જે તે વખતે નગરપાલિકામાં જમીનના રૂપિયા ભરેલ છે. જેની પહોંચી આ લોકો પાસે છે. ર૮ વર્ષ જેવા સમય વીતી ગયો હોવા છતા કોર્પોરેશન હજુ આ લોકોને દસ્તાવેજ આપતી નથી. રૂપિયા લઇ ગરીબો સાથે છેતરપીડી કરી રહી છે. ત્યાર બાદ ર૦૦૪, ર૦૦૯, ર૦૧ર, ર૦૧પ, ર૦૧૯ના વર્ષોમાં અનેકો વખત જનરલ બોર્ડની અલગ-અલગ બોડીએ ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા તેમજ ઝુપડપટ્ટીના મકાનોનો વેરો લેવા ઠરાવો કરેલ છે. વહીવટી મંજૂરી પણ આપેલ છે છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી.

વડાપ્રધાનના જન્મ દિવસે ઝુપડપટ્ટીના આગેવાનોએ જેલ ભરો આંદોલન કરી જવલંત કાર્યક્રમ કરેલ. જે સમયે ભાજપના મિત્રો લોકોનો પ્રશ્ન હલ કરવાને બદલે પોલીસ અને પબ્લીકને સામ-સામે કરી દે છે તે ખૂબ જ દુઃખની વાત છે. જેની નોંધ સોશ્યલ મીડીયામાં સમગ્ર દેશવાસીઓએ લીધેલ. આજ રીતે ઝુપડપટ્ટીના પ્રશ્નને અવગણવામાં આવશે તો આવનાર દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની રણનીતિ નક્કી કરી ટુંક સમયમાં જ આ પ્રશ્નનો નિવેડો લઇ આવવા ગમે તે ભોગે ગમે તેવી મુસીબતે છેલ્લામાં છેલ્લા શ્વાસ સુધીની લડાઇ આપવાની તૈયારી બતાવી છે. તેમ લાખાભાઇ પરમારે જણાવ્યું છે.

(1:01 pm IST)