Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કેશોદના નિવૃત્ત પોલીસકર્મીએ આત્મવિલોપનની આપી ચીમકી

પોલીસકર્મીએ હક્ક માટે જીવનને દાવ પર લગાવ્યું

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૯ : કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ફરજ બજાવી જીવનભર રક્ષક તરીકે નોકરી કરી લોકોનાં માલ મિલ્કત ની રક્ષા કરનારાં પોલીસકર્મીને વયમર્યાદા ને કારણે નિવત્ત થયા બાદ પોતાનાં હક્ક હિત મેળવવા જીવન દાવ પર લગાવવાની સ્થિતિ સર્જાઈ છે.

 કેશોદ શહેરના વતની અરજણભાઈ કાનાભાઈ ડાંગર વર્ષ ૧૯૮૬ માં ગુજરાત પોલીસ દળમાં ભરતી થઈને સૌરાષ્ટ્રમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તાજેતરમાં નિવત્ત થયા છે. ગુજરાત પોલીસ દળમાં થી નિવૃત્ત થતાં પોતાનાં મળવાપાત્ર આર્થિક લાભો અને પેન્શન સમયસર ચુકવવામાં ન આવતાં અંતે રાજયપાલ ગુજરાત રાજય ને લેખિતમાં જાણ કરી નેવું દિવસમાં મળવાપાત્ર રકમની ચુકવણી કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપેલછે.    

રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૦૦ માં ઉના પોલીસ સ્ટેશનમાં ગુન્હા થર્ડ ૫૨૪૫/૨૦૦૦ પ્રોહીબેશન કલમ ૬૬બી,૬૫એ,૧૧૬(૨) મુજબ આરોપી ચંદ્રશેખર નાયક ને વિદેશી બનાવટનો દારૂ અને બીયરના જથ્થા સાથે ફિયાટ કારમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. જેનાં નિવેદનો જે તે વખતના પોલીસ ઇન્સ્પેકટર   પી આર પંડ્યા એ લેખિતમાં લીધાં હતા. જેમાં પોલીસકર્મી અરજણભાઈ ડાંગરની કોઈ પ્રકારની સંડોવણી ન હોવાં છતાં સતર વર્ષ બાદ તા.૨/૬/૧૭નાં રોજ અટક કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જામીન મુકત કરવામાં આવેલ હતાં. આ ઉપરાંત ઉના પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી માં પકડાયેલા આરોપી પાસેથી કબજે લેવામાં આવેલ ફિયાટ કાર પોલીસકર્મીના ભાઈ પાસેથી લખાણ કરી વેચાણથી લીધી હતી. જે અંગેનાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલાં છે. ત્યારે પોલીસ વિભાગના સતર વર્ષ નોકરી કરવા છતાં કયારેય પણ કોઈ ફોજદારી રાહે પગલાં ભરવામાં આવેલાં નથી અને નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા નથી છતાં પણ મળવાપાત્ર લાભો શા કારણે અટકાવવા માં આવે છે એ બાબતે કોઈ સ્પષ્ટ કારણ બતાવવામાં આવ્યું નથી.

નિવૃત્ત પોલીસકર્મીએ રાજયપાલને લેખિત રજૂઆત કરી આ અંગે યોગ્ય ન્યાય નહી મળેતો નાછુટકે આત્મવિલોપન કરવાનું વિચારતાં તેઓની અર્ધાગની પત્ની એ પણ પતી સાથે આત્મવિલોપન કરવાનું જણાવેલછે.

ગુજરાત રાજયના રાજયપાલ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને તેમનો હકકહિસ્સો મળી રહે તથા સત્વરે યોગ્ય ન્યાય મળી રહે તેમાટે યોગ્ય કાર્યવાહી કરવા  પત્રના અંતમા જણાવેલછે.

(12:56 pm IST)