Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મોરબી જીલ્લામાં કોરોનાના ૩૦ કેસ : ૨૧ દર્દીઓ ડીસ્ચાર્જ

 મોરબી,તા. ૧૯: મોરબી જીલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ ૩૦ કેસો નોંધાયા છે જયારે ૨૧ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે.

મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૦ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૧૬ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૫ કેસમાં ૦૩ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૩ કેસો ગ્રામ્ય વિસ્તારમાં જયારે ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ ૩૦ કેસો નોંધાયા છે જયારે આજે વધુ ૨૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૪૩૬ થયો છે જેમાં ૨૬૧ એકટીવ કેસ છે જયારે ૧૧૦૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:30 am IST)