Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વડાપ્રધાનના ૭૦માં જન્મદિન પ્રસંગે

વઢવાણ શનિ મંદિરે ભારતમાતા તેમજ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિતા કરાઇ

વઢવનણ,તા.૧૯ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ - સુરેન્દ્રનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે શનિ મંદિર-વઢવાણ ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી અને svgryb ના વાલી ડો. અનિરૂદ્ઘસિંહ પઢીયાર, ધારાસભ્ય  ધનજીભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય  વર્ષાબેન દોશી, શહેર ભાજપ પ્રમુખ વીરેન્દ્રભાઇ આચાર્ય, જિલ્લા સંયોજક ભવાનસિહ ટાંક, નગરપાલિકા ના પુર્વ પ્રમુખ વિપિનભાઇ ટોલીયા, ભાજપ ના પદાધિકારીઓ હંસાબેન ઉદેશા, સ્મિતાબેન રાવલ,જયદીપસિંહ ઝાલા, રાજભા ઝાલા, શૈલેષભાઇ વ્યાસ, જામાભાઈ ગરીયા, વાય.બી.રાણા, પૂનમબા સોલંકી, ચેતન કાલીયા, VHPના રાજુભાઈ હાલાણી, પી.સી.મહેતા, પ્રશાંતભાઇ, પવનસિંહ, અલ્કેશભાઈ આચાર્ય, કરશનભાઇ જાદવ સહીતના આગેવાનો અને યુવા બોર્ડના સંયોજકો -યુવાનો ઉપસ્થિત રહી મૂર્તિ ની પૂજા કરી સ્થાપના કરવામા આવેલ તેમજ વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી પ્રસાદ વહેંચવામાં આવેલ.

આ મંદિર નિર્માણના કાર્યક્રમને સફળ બનાવવા વઢવાણ વિધાનસભાના svgrybના સંયોજકો હર્ષદભાઇ ગાંધી, હરેશભાઇ જાદવ, રવિરાજ ખેર, ભાવેશ ગઢવી, ધાર્મિક ઠાકર, અર્જુનસિંહ ડોડીયા એ જહેમત ઉઠાવેલ હતી.

(11:29 am IST)