Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

બે બાઇક સામ-સામે અથડાતાં નવલખીના કનુ ખરાડનું મોત

જામનગરથી નવલખી જતી વખતે દહીંસરા મંદિર નજીક બનાવ

રાજકોટ તા. ૧૯: મોરબીના નવલખી  લવરપુરમાં રહેતાં મુળ દાહોદના કનુ હિમચંદભાઇ ખરાડ (ઉ.વ.૨૫)નું દહીંસરાના મેલડી માતાના મંદિર નજીક બાઇક અકસ્માતમાં મોત થયું છે.

કનુ લવરપુરમાં રહી કામ કરતો હતો. ગઇકાલે જામનગર કામ સબબ ગયો હતો. ત્યાંથી બાઇક હંકારી પરત નવલખી તરફ આવતો હતો ત્યારે દહીંસરા પાસે સામેથી બીજુ બાઇક અથડાતાં તેને ગંભીર ઇજા થાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:24 am IST)